દોહા :- એવું સુણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુકત મહારાજ ।।
પૂછું છું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ ।। ૧ ।।
કલ્યાણ કરવા કારણે, કરે અતિ ઉત્તમ ઉપાય ।।
શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય ।। ૨ ।।
પ્રગટ હરિ હોય નહિ, હોય નહિ તેના મળેલ ।।
સાજ સમાજ સરવે, રહી જાય તેનો રળેલ ।। ૩ ।।
પાછળ પ્રભુજી પ્રગટે, આવે એનું કયુર્ં કાંઈ અર્થ ।।
તે સા’ય કરે કાંઈ શ્રેયમાં, કે વણ સા’યે જાય વ્યર્થ ।। ૪ ।।
જે જે કરે એ કલ્યાણ કાજ રે, તે તે કહું સાંભળો મહારાજ રે ।।
મેળ્યાં અન્ન ધન કયાર્ં ધામ રે, વસન ભૂષણ આવે કેડ્યે કામ રે ।। ૫ ।।
વાસન વાહન ખાટ્ય પાટલા રે, ગાદી તકિયા ઓછાડ ગાદલાં રે ।।
વાવ્ય કૂવા તલાવડી ક્ષેત્ર રે, આવે અર્થ પ્રભુને એ પવિત્ર રે ।। ૬ ।।
પર્વ સદાવ્રત વૃક્ષછાંઈ રે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈ રે ।।
ગાય ગવા મહિષી ગજ બાજ રે, હોય રથ પાલખી સમાજ રે ।। ૭ ।।
વાંસે આવે એ અર્થે હરિને રે, થાય સારું એનું તેણે કરીને રે ।।
વળી આપી હોય મહિષી ગાય રે, તેનાં દહીં દૂધ ઘી જમાય રે ।। ૮ ।।
આપનારને એ આપ્યા તણું રે, શ્રેય કે’જયો સમજાવી ઘણું રે ।।
વળી અસ્થ ત્વચા ને વિષાણ રે, વાળ વડે તે કે’જયો કલ્યાણ રે ।। ૯ ।।
વળી સાર દાર દળ તૃણ રે, આવે હરિ અર્થે પંખા પર્ણ રે ।।
ફળ ફૂલ મૂળ રસ ફળી રે, ભાજી તરકારી અૌષધી વળી રે ।।૧૦।।
પશુ પંખી ને મનુષ્ય માંય રે,એનું આવે સેવામાં જો કાંય રે ।।
હીરા મોતી મણિ પરવાળાં રે, કંકર પથ્થર રત્ન રૂપાળાં રે ।।૧૧।।
તે મનુષ્યનાં મળેલ હોય રે, આવે એ માંયેલું અર્થ કોય રે ।।
સ્થાવર જંગમ જે કહેવાય રે, તેહ આવે હરિસેવા માંય રે ।।૧૨।।
એવી વસ્તુ અનેક પ્રકાર રે, એહ સાજ સમાજ દેનાર રે ।।
આવે હરિ હરિજન અર્થ રે, ફળ શું મળે કહો સમર્થ રે ।।૧૩।।
પ્રભુ પ્રગટ પૃથવિયે હોય રે, પણ તે સમે તે જન નો’ય રે ।।
વળી કાવ્ય કીર્તન ગદ્ય પદ્ય રે, કયાર્ં કવિએ કવિત છપય છંદ રે ।।૧૪।।
અષ્ટક સ્તોત્ર ને વળી સ્તુતિ રે, કરી હોય બહુવિધે વિનતિ રે ।।
પણ પ્રભુ પ્રગટ ન હોય રે, ના’વે એ માંયેલું અર્થ કોય રે ।।૧૫।।
કરે વિષ્ણુયાગ જપે નામ રે, તીર્થ વ્રત કરે ફરે ધામ રે ।।
રાખે નીમ કરી બહુ જતન રે, તપે કરી તજી દિયે તન રે ।।૧૬।।
કયુર્ં હોય તે કલ્યાણ કાજ રે, પણ પ્રગટ ન હોય મહારાજ રે ।।
એનું આવે છે એ કાંઈ અર્થ રે, કે વણ મળ્યે એ છે વ્યર્થ રે ।।૧૭।।
કયુર્ં હોય એ કલ્યાણ સારુ રે, પણ પ્રભુ વિના પડ્યું ઉધારુ રે ।।
કરતાં કરતાં કસર ન રાખી રે, ગઈ એમાં આવરદા આખી રે ।।૧૮।।
બહુ કલ્યાણ કરવા રળ્યો રે, પણ એ દેહે જોગ ન મળ્યો રે ।।
આખો જન્મ એમ ગુમાવ્યો રે, પણ દાખડો દોપે ન આવ્યો રે ।।૧૯।।
પ્રભુ પ્રગટ પૃથ્વીએ નહિ રે, એની મે’નત કરે કોણ સહિ રે ।।
ઘણું રળ્યો રોકડું ન મળ્યું રે, જન્મમરણનું દુઃખ ન ટળ્યું રે ।।૨૦।।
કયુર્ં હોય તે કલ્યાણ કાજ રે, પણ પ્રગટ ન મળ્યા મહારાજ રે ।।
કહું કેડ્યે પ્રગટે ઘનશ્યામ રે, આવે એનું કયુર્ં કાંઈ કામ રે ।।૨૧।।
કયુર્ં હોય એ શ્રદ્ધા સહિત રે, આણી ઉરે પ્રભુની પ્રતીત રે ।।
શુદ્ધ મન હોય શુદ્ધ ભાવ રે, દલમાંહિ નહિ દગા દાવ રે ।।૨૨।।
અતિ આસ્તક મતિ છે ઉર રે, નાસ્તક વાતથી રહે છે દૂર રે ।।
એવા જન જગતમાં જેહ રે, ન મળ્યા હરિ છૂટી ગયા દેહ રે ।।૨૩।।
કરી પુરુષ પ્રયત્ન તન તાવ્યું રે, પણ એ દેહે અર્થ ન આવ્યું રે ।।
પછી પ્રગટિયા ઘનશ્યામ રે, આવ્યું કયુર્ં કેડ્યે એનું કામ રે ।।૨૪।।
તેની થાય કે ન થાય મુકત રે, કે’જયો મુકત વિકત પાડી અતિ રે ।।
જે જે પૂછી છે વાત સઘળી રે, કે’જયો વણ પૂછી પણ વળી રે ।।૨૫।।
જે જે વાત જાણ્યા માંહિ આવી રે, તે તે પૂછી તમને મેં લાવી રે ।।
કૈક રહી ગઈ હોય વાંસે રે, તે પણ કે’જયો સુણીશ ઉલ્લાસે રે ।।૨૬।।
સર્વે વાત કે’જયો એ સંભારી રે, સુણી રાખીશ હૃદયે ધારી રે ।।
છે એ સહુના અર્થની વાત રે, કે’તાં સુણતાં ભાંગે સર્વે ભ્રાંત રે ।।૨૭।।
જે જે કયુર્ં હોય પ્રભુ સારુ રે, કે’જયો તેના ફળનું દેનારું રે ।।
તમ વિના કે’શે બીજું કોણ રે, નથી કે’નાર જોયું છે જોણ રે ।।૨૮।।
માટે સહુ જોઈ રહ્યા સામું રે, બોલી અમૃત વેણ પૂરો હામું રે ।।
તમે દિલના છો દરિયાવ રે, માટે પૂછતા થાય છે ઉછાવ રે ।।૨૯।।
પ્રશ્ન પૂછું છું હું લગાર રે, તે સમજાવો છો કરી વિસ્તાર રે ।।
ધન્ય ધન્ય દિલના દયાળ રે, ધર્મધુરંધર ધર્મપાળ રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે ચતુર્દશો નિર્ણયઃ ।।૧૪।।