દોહા :- મુમુક્ષુ તારા મનનું, મેં જોઈ લીધું છે જાણ ।।
સુખદાયક એ સહુના, એવા પ્રશ્ન તારા પ્રમાણ ।। ૧ ।।
પડે પ્રતીતિ ભકતપરોક્ષને, મોક્ષનો સમજાય મર્મ ।।
એવો આશય તારા ઉરનો, પરમાર્થ અર્થનો પર્મ ।। ૨ ।।
જગ હિતકારી જાણિયો, જિજ્ઞાસુ તુને મેં જોર ।।
જે જે પૂછ્યું તેં જીભથી, તે નથી કાંઈ કનોર ।। ૩ ।।
આપું ઉત્તર હવે એહના, તેં પૂછિયું મુજને જેહ ।।
શ્રુતિ દઈ હવે સુણજે, કહું સર્વે સમજાવી તેહ ।। ૪ ।।
ચોપાઈ :-
તેં પૂછ્યું પરોક્ષ ભકતતણું રે,તે કહું કાંઈક થોડું ઘણું રે ।।
ભૂત ભવિષ્ય ને વર્તમાન રે, કહું ત્રણેની રીત નિદાન રે ।। ૫ ।।
ભકત ભકતમાંહિ ભેદ ઘણા રે, સર્વે ભકત ન હોય પ્રભુ તણા રે ।।
નિષ્કામ સકામ બે ભકત રે, તેની પણ જાણી જોઈએ વિકત રે ।। ૬ ।।
સકામ ભજે કામ સારવા રે, તાપ તન મનના નિવારવા રે ।।
એને અર્થે ભજે અવિનાશ રે, તે તો અર્થ સર્યા સુધી દાસ રે ।। ૭ ।।
એને ભકત હરિના ન કૈયે રે, વાત એ પણ સમજી લૈયે રે ।।
સુત કલત્ર દેહ સારુ રે, ભજે છે ભાવે ભકત હજારું રે ।। ૮ ।।
એનું આશ્ચર્ય નહિ કાંઈ અણું રે, સહુ સારે છે કામ આપણું રે ।।
સાચા ભકત એને ન ભણિયે રે, અર્થાઅર્થી એ જન ગણિયે રે ।। ૯ ।।
એની ભકત હરિને ન ભાવે રે, એ તો પ્રાકૃત ભકત જો કા’વે રે ।।
સાચા ભકતતણી ઓળખાણ રે, કહંુ સાંભળજે તું સુજાણ રે ।।૧૦।।
શુદ્ધ અંતર ને શુદ્ધ આશે રે, શુદ્ધ મને પ્રભુને ઉપાસે રે ।।
નિષકામ કપટે રહિત રે, શુદ્ધ ભાવ શ્રદ્ધાયે સહિત રે ।।૧૧।।
યશ કીર્તિ વધારવા લાજ રે, નહિ દંભ દેખાડવા કાજ રે ।।
નહિ ઇરષ્યા ને અમરષ રે, નહિ સ્પરધા થાવા સરસ રે ।।૧૨।।
એવી રીતે જીવ જગે જેહ રે, તેનું કરેલ હોય કાંઈ તેહ રે ।।
આવે તે હરિ હરિજન અર્થ રે, તે તો કદી ન જાયે વ્યર્થ રે ।।૧૩।।
જમે અન્ન ને પે’રે વસન રે, આવે હરિ અર્થે એનું ધન રે ।।
તેણે પામે પરમ પ્રાપતિ રે, તેમાં ફેર નથી રાઈ રતિ રે ।।૧૪।।
ભૂષન વસન વાહન વળી રે, ખાટ્ય પાટ્યાદિ વસ્તુ સઘળી રે ।।
આવે પ્રગટ પ્રભુને એ કામ રે, પામે સુખનિધિ એનો શ્યામ રે ।।૧૫।।
વાવ્ય કૂવા તળાવ ભુવન રે, તેના કરાવનારા જે જન રે ।।
તેહ પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપતિ રે ।।૧૬।।
પિયે પાણી ના’યે નીરમાંય રે, બેસે એનાં કરેલ ઘર છાંય રે ।।
આવ્યું એનું કરેલ હરિ કામે રે, તેણે કરી એ પ્રાણી સુખ પામે રે ।।૧૭।।
ગાદી તકિયા ગાદલાં ગોદડાં રે, અવલ ઓછાડ ઓસિસાં રૂડાં રે ।।
તે પણ આવે જો કામ હરિને રે, સુતાં બેઠાં જાગવે કરિને રે ।।૧૮।।
તેના કરાવનારા જીવ જેહ રે, પામે પ્રભુના સુખને તેહ રે ।।
વાડી ખેત્ર પરબ સદાવ્રત રે, બાંધી ધર્મશાળા પામે મૃત રે ।।૧૯।।
ગાય ગવા મહિષી ગજ બાજ રે, મેલી મરે એ સર્વે સમાજ રે ।।
પણ કેડ્યે આવે અર્થ કાંઈ રે, હરિ હરિજનની સેવા માંઈ રે ।।૨૦।।
તેણે કરીને થાય કલ્યાણ રે, તે પણ નિશ્ચે જાણજયે નિરવાણ રે ।।
રથ વે’લ પાલખી ને મેના રે,કરાવેલ હોય જન જેના રે ।।૨૧।।
જીવ્યો ત્યાં સુધી જોગ ન મળ્યો રે,પછી સર્વે મૂકી પ્રાણી પળ્યો રે ।।
મૂવો મેલી એ સરવે મિરાથ રે, પાછળ આવી એ પરને હાથ રે ।।૨૨।।
તેહ વડે શ્રીહરિ સેવાય રે, તેનું કલ્યાણ જરૂર થાય રે ।।
દૂધ દહીં માખણ ઘી મિસરી રે, જમ્યા હોય પ્રગટ શ્રીહરિ રે ।।૨૩।।
તેહ ગાય મહિષીની ગતિ રે, થાય પ્રભુ પ્રસંગે પ્રાપતિ રે ।।
કેનાં અસ્થિ શ્રૃંગ રોમ ચામ રે,આવે મહાપ્રભુજીને એ કામ રે ।।૨૪।।
પામે પરમ ગતિ પ્રાણી એહ રે, હરિ અર્થે આવ્યો એનો દેહ રે ।।
સાર દાર દલ તૃણ વળી રે, ફળ ફૂલ મૂલ કંદ ફળી રે ।।૨૫।।
એહ આદિ ઔષધિ જે કા’વે રે , તે જો પ્રગટ પ્રભુને અર્થે આવે રે ।।
થોડે દને સ્થાવર દેહ ત્યાગી રે, થાય માનજયો મોક્ષનાં ભાગી રે ।।૨૬।।
વળી હીરા મોતી મણિ માળા રે, કંકર પથ્થર રત્ન પ્રવાળાં રે ।।
અતિ કષ્ટે કયાર્ં હોય ભેળાં રે,પડ્યાં રહ્યાં એ ચાલતી વેળા રે ।।૨૭।।
એહ વડ્યે પ્રભુ જો પૂજાય રે, તેના ધણીનું કલ્યાણ થાય રે ।।
કાવ્ય કવિ કરી ગયા હોય રે, આવે શ્રીહરિ અર્થે સોય રે ।।૨૮।।
તે પણ પામે છે પરમ કલ્યાણ રે, તેનું સમજી લેજયે સુજાણ રે ।।
પ્રભુ પ્રગટનો પ્રસંગ રે, પામે પ્રાણધારી કોઈ અંગ રે ।।૨૯।।
તે તો પામે સહુ ભવપાર રે, તેમાં સંશય નથી જો લગાર રે ।।
એમ આદ્ય અંત્ય મધ્ય માંઈ રે, પ્રભુ વિના કલ્યાણ નહિ કયાંઈ રે ।।૩૦।।
ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે પંચદશો નિર્ણયઃ ।।૧૫।।