દોહા :
અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર ।।
જોતા નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર ।।૧।।
સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય ।।
સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય ।।૨।।
ચોપાઇ ધ્રુવપદી :
પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે ।। જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે ।।
અકળ અનુપ અમાપ,અચ૦ । કોય કરી શકે નહી થાપ,અચ૦ ।।૩।।
અગમ અતોલ અપાર,અચ૦ । નિગમે ન થાય નિરધાર,અચ૦ ।।
શિવ બ્રહ્મા સરખા કહે છે,અચ૦ । તોય અતિ અપાર રહે છે,અચ૦ ।।૪।।
પ્રગટ મૂર્તિનો મહિમાય,અચ૦ । સર્વે સુખતણી સીમાય,અચ૦ ।।
મોટ્યપ હરિમૂર્તિની અતિ,અચ૦ । કેજાતા કહેવાય નહીં કોયવતી,અચ૦ ।।૫।।
જેજે હરિ મૂર્તિથી થયું,અચ૦ । તે તે મેં ન જાય કહ્યું,અચ૦ ।।
બહુ બહુ થાય ચમત્કાર,અચ૦ । તેને કહેતાં ન આવે પાર,અચ૦ ।।૬।।
જે કોય કેદી ન સૂણ્યું કાન,અચ૦ । તે તો દેખાડ્યું ભગવાન,અચ૦ ।।
અલૌકિક વસ્તુ આવે લોકે,અચ૦ । તે તો જન સહુ અવલોકે,અચ૦ ।।૭।।
અશન વસન સુંદર માળા,અચ૦ । પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા,અચ૦ ।।
તલલાડું તોરા હાર,અચ૦ । ફળ ફુલ અમૂલ્ય અપાર,અચ૦ ।।૮।।
પામે સમાધિયે તે દાસ,અચ૦ । જાગે જયારે ત્યારે રહે પાસ,અચ૦ ।।
જેજે આપે સમાધિ માંયે,અચ૦ । તે તે લઇ આવે જન આંયે,અચ૦ ।।૯।।
અમાયિક માયિકમાં આવે,અચ૦ । એથી અન્ય આચરજ શું કાજાવે,અચ૦ ।।
વળી અનેક પરચા આપે,અચ૦ । પામે જન પ્રગટ પ્રતાપે,અચ૦ ।।૧૦।।
તેતો કેજાતા ન કેજાવાયે,અચ૦ । મોટો હરિમૂર્તિ મહિમાયે,અચ૦ ।।
જેજે આ સમાની વાત,અચ૦ । તે દીઠી મેં સાક્ષાત,અચ૦ ।।૧૧।।
સંતદાસ પ્રગટ પ્રતાપે,અચ૦ । ગયા જળમાં નાજાવા આપે,અચ૦ ।।
દીધી જળમાં ડૂબકી દાસે,અચ૦ । નિસર્યા નરનારાયણ પાસે,અચ૦ ।।૧૨।।
તિયાં દોઢ માસ રઇ,અચ૦ । ત્યાંની ખબર આવ્યા લઇ,અચ૦ ।।
તેતો આચરજ વાત કહેવાય,અચ૦ । આ દેહે એમ જવાય,અચ૦ ।।૧૩।।
વળી ફરી મેલ્યા મહારાજે,અચ૦ । હીમાળો ઉલ્લંઘ્યો મુનિરાજે,અચ૦ ।।
આવી પથરા નદી ત્યાંયે,અચ૦ । ઉતર્યા શ્રી હરિ ઇચ્છાયે, અચ૦ ।।૧૪।।
નાહ્યા માનસરોવર ઘાટે,અચ૦ । કૈકૈ કારજ કીધાં વાટે,અચ૦ ।।
એહ સામર્થી સ્વામીની,અચ૦ । બીજી કહું બહુનામીની,અચ૦ ।।૧૫।।
એક સચ્ચિદાનંદ સંત,અચ૦ । મહામોટા સાધુ અત્યંત,અચ૦ ।।
તેને રૂંધ્યા ઘરમાં ઘાલી,અચ૦ । રાખી ચોકી તાળાં આલી, અચ૦ ।।૧૬।।
તેમાંથી નીસરી ગયા,અચ૦ । તાળાં તેમનાં તેમ રહ્યાં,અચ૦ ।।
ભૌતિક દેહ અભૌતિક થયું,અચ૦ । એહ કારણ હરિનું કહ્યંુ,અચ૦ ।।૧૭।।
વળી હરિમૂરતિ પ્રતાપે,અચ૦ । સુખિયા થયા સાધુ આપે,અચ૦ ।।
એક વ્યાપકાનંદ મુનિ,અચ૦ । તે પર મેજાર મોટી પ્રભુની,અચ૦ ।।૧૮।।
સદા રહે મૂર્તિમાંઇ,અચ૦ । હરે ફરે હરિ ઇચ્છાઇ,અચ૦ ।।
વળી જે જે બોલે જિહ્વાય,અચ૦। તે તો તેમનું તેમ થાય,અચ૦ ।।૧૯।।
એક મૂંઇ જીવાડી ઘોડી,અચ૦ । એહ વાત નહિ કાંયે થોડી,અચ૦ ।।
વળી વાડવસુત જીવાડ્યો,અચ૦ । પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો,અચ૦ ।।૨૦।।
તે સામર્થી સહજાનંદની,અચ૦ । કહિ કેમ જાય આનંદકંદની,અચ૦ ।।
વળી વ્યાપકાનંદે એક,અચ૦ । કાપી કષ્ટ ઉગાર્યો વણિક,અચ૦ ।।૨૧।।
એવાં અનેક અલૌકિક કાજ,અચ૦ । કર્યા સંતદ્વારે મહારાજ,અચ૦ ।।
વળી સંત સ્વરૂપાનંદ,અચ૦ । જેને અંતર સદા આનંદ,અચ૦ ।।૨૨।।
કરી સમાધિ સંયમિની ગયા,અચ૦ । દીઠા જીવ દુઃખિયા તિયાં,અચ૦ ।।
નરક કુંડમાં નરનાર,અચ૦ । પાપી પીડાતાં અપાર,અચ૦ ।।૨૩।।
તેને દેખી દયા આવી,અચ૦ । બોલ્યા હરિમૂર્તિ બળ લાવી,અચ૦ ।।
નિસરો નરક થકી સહુ બાજાર,અચ૦ । પ્રગટ પ્રતાપે નરનાર,અચ૦ ।।૨૪।।
કાઢી જીવ કીધા કુંડ ખાલી,અચ૦ । જેને જમે નાખ્યાતા ઝાલી,અચ૦ ।।
તે નિસર્યા હરિ પ્રતાપે,અચ૦ । એ તો અતોળ વાત અમાપે,અચ૦ ।।૨૫।।
એક હરિજન પર્વતભાઇ,અચ૦ । સદા રહે હરિમૂર્તિમાંઇ,અચ૦ ।।
એક દિન વિચાર્યુ એવું,અચ૦ । વારાહરૂપ હશે વળી કેવું,અચ૦ ।।૨૬।।
ત્યાંતો રૂપ રૂડાં ચોવિશે,અચ૦ । ઉભાં આગળ નજરે દિશે,અચ૦ ।।
એક એકથી અનૂપ,અચ૦ । ચિત્તચોર ચોવિશે રૂપ,અચ૦ ।।૨૭।।
વળી પ્રગટ મૂર્તિ પાસે,અચ૦ । ઉભી દીઠી તે પણ દાસે,અચ૦ ।।
સર્વે રૂપ સમાણાં તેમાં,અચ૦ । પ્રગટ મૂર્તિ સુખની સીમા,અચ૦ ।।૨૮।।
તે તો પર્વતભાઇ પાસ,અચ૦ । સદા રહે છે શ્રી અવિનાશ,અચ૦ ।।
એવી વાત આજ દિન પેજાલી,અચ૦ । નથી શ્રવણે સાંભળેલી,અચ૦ ।।૨૯।।
વળી એહ મૂર્તિના બળે,અચ૦ । થયું કામ કહું એક પળે,અચ૦ ।।
એક ભકત રૂડો રતનો,અચ૦ । કરે ધ્યાન ધંધો ઘરનો,અચ૦ ।।૩૦।।
તેને ઘેર દિવ્ય રૂપે,અચ૦ । આવ્યા નાથ રથ અનુપે,અચ૦ ।।
હતો રથ હાલો હાલ્યે,અચ૦ । વળગ્યો રથને રતનો વાલ્યે,અચ૦ ।।૩૧।।
પોહોત્યો પલમાં જુગ જોજને,અચ૦ । બેઠા બાંધે બાર સદને,અચ૦ ।।
તે તો દિધું હતું દોકાન,અચ૦ । તેમાં મૂકી ગયા ભગવાન,અચ૦ ।।૩૨।।
ભૌતિક ભાવ રહ્યો નહીં રતિ,અચ૦ । પામ્યા દિવ્ય દેહની ગતિ,અચ૦ ।।
એવાં અનંત ચમતકાર,અચ૦ । પ્રગટ મૂર્તિમાં અપાર,અચ૦ ।।૩૩।।
વળી એક મેઘ હલવાઇ,અચ૦ । સદા રહે સમાધિમાંઇ,અચ૦ ।।
કરે કંદોઇનું કાજ,અચ૦ । પળ ભૂલે નહીં મહારાજ,અચ૦ ।।૩૪।।
તપાવે તેલ અતિ તાવડે,અચ૦ । તેમાંથી કળી કાઢે કર વડે,અચ૦ ।।
તેમાં રતિ ન દાઝે આપે,અચ૦ । તે તો હરિમૂર્તિ પ્રતાપે,અચ૦ ।।૩૫।।
વળી એક ડોસો યવન,અચ૦ । તેને થયું હરિનું દર્શન,અચ૦ ।।
રહી મૂર્તિ અંતરમાંઇ,અચ૦ । ભૂલ્યો દેહ દિસે નહિ કાંઇ,અચ૦ ।।૩૬।।
તેને બાપે બાંધ્યો બંધે,અચ૦ । રોકયો ઘરમાં ઘાલી સંબંધે,અચ૦ ।।
આપ્યાં કમાડ દીધાં તાળાં,અચ૦ । બેઠા બારણે રખવાળાં,અચ૦ ।।૩૭।।
તેમાંથી દેહ અદર્શ થઇ,અચ૦ । નિસર્યો બાર ગાઉ પર જઇ,અચ૦ ।।
ત્યાં પણ બંધ કર્યો વળી બીજે,અચ૦ । ત્યાંથી નિસરી ગયો ત્રીજે,અચ૦ ।।૩૮।।
આવરણ એક આડું નવ રહ્યું,અચ૦ । ભૌતિક દેહ અભૌતિક થયું,અચ૦ ।।
તે તો જાણે છે જન મનમાં,અચ૦ । એહ સામર્થી ભગવાનમાં,અચ૦ ।।૩૯।।
એવી કેટલીક વાતો કરીયે,અચ૦ । પ્રગટ મૂર્તિની વૈખરીયે,અચ૦ ।।
ઘણી વાત થોડામાં કહી,અચ૦ । બીજી ઘણી ગ્રંથોમાં રહી,અચ૦ ।।૪૦।।
સર્વે વાત સંભારી કહેવા,અચ૦ । નથી આ જગમાં કોઇ એવા,અચ૦ ।।
જોયું અંતર ઉંડુ ખોળી,અચ૦ । સામર્થ્ય વાલામાં વણતોળી,અચ૦ ।।૪૧।।
આ મૂર્તિની જે મોટાઇ,અચ૦ । નાવે નાવે કહ્યાં માંઇ,અચ૦ ।।
આ મૂર્તિ સહુથી ન્યારી,અચ૦ । શું હું કહું વડાઇ વિસ્તારી,અચ૦ ।।૪૨।।
આ મૂર્તિ સહુથી નોખી,અચ૦ । ચોક્કસ વાત કહું છું ચોખ્ખી,અચ૦ ।।
આ મૂર્તિ નહીં અન્ય જેવી,અચ૦ । હરિ ધરી ન ધરશે એવી,અચ૦ ।।૪૩।।
આ મૂર્તિ છે અલૌકી,અચ૦ । માનો માન મનનું મૂકી,અચ૦ ।।
આ મૂર્તિ નહીં કોય સરખી,અચ૦ । જુવો અંતર ઉંડુ નિરખી,અચ૦ ।।૪૪।।
આ મૂર્તિનો મહિમાય,અચ૦ । કોટિ કવિયે કેમ કહેવાય,અચ૦ ।।
આ મૂર્તિનું પરમાણું,અચ૦ । લખતાં કેણે ન લખાણું,અચ૦ ।।૪૫।।
કૈક કહી કહી કેજાછે ઘણું,અચ૦ । બળ બહુ દેખાડે બુદ્ધિતણંુ,અચ૦ ।।
તોય જથારથ જાણવા,અચ૦ । નથી કોય જુના નવા, અચ૦ ।।૪૬।।
એવી મૂર્તિ છે આજની,અચ૦ । હરિજનના સુખ સાજની,અચ૦ ।।
સહુને પાર આવ્યા છે પોતે,અચ૦ । જન સુખિયા થાય સહુ જોતે,અચ૦ ।।૪૭।।
એહ મૂર્તિના પ્રસંગે,અચ૦ । કૈક સુખિયા થયા અંગે,અચ૦ ।।
એવી મૂર્તિ સુખમય સારી,અચ૦ । તે તો દ્વિજ ધર્મ ઘર ધારી,અચ૦ ।।૪૮।।
ધન્ય ધન્ય દ્વિજ ધર્મકુમાર,અચ૦ । કર્યા બહુ જીવ ભવપાર,અચ૦ ।।
તે ગણતાં ન ગણાય,અચ૦ । કહ્યો મૂર્તિનો મહિમાય,અચ૦ ।।૪૯।।
મોટ્યપ કહેવા મૂર્તિતણી,અચ૦ । હતી હામ હૈયામાં ઘણી,અચ૦ ।।
પૂરી થઇ પામ્યો આનંદ,અચ૦ । એમ કહે નિષ્કુળાનંદ,અચ૦ ।।૫૦।।
ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત હરિસ્મૃતિ મધ્યે સપ્તમ ચિંતામણિઃ ।।૭।।