દોહા :

અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર ।।

જોતા નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર ।।૧।।

સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય ।।

સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી :

પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે ।। જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે ।।

અકળ અનુપ અમાપ,અચ૦ । કોય કરી શકે નહી થાપ,અચ૦ ।।૩।।

અગમ અતોલ અપાર,અચ૦ । નિગમે ન થાય નિરધાર,અચ૦ ।।

શિવ બ્રહ્મા સરખા કહે છે,અચ૦ । તોય અતિ અપાર રહે છે,અચ૦ ।।૪।।

પ્રગટ મૂર્તિનો મહિમાય,અચ૦ । સર્વે સુખતણી સીમાય,અચ૦ ।।

મોટ્યપ હરિમૂર્તિની અતિ,અચ૦ । કેજાતા કહેવાય નહીં કોયવતી,અચ૦ ।।૫।।

જેજે હરિ મૂર્તિથી થયું,અચ૦ । તે તે મેં ન જાય કહ્યું,અચ૦ ।।

બહુ બહુ થાય ચમત્કાર,અચ૦ । તેને કહેતાં ન આવે પાર,અચ૦ ।।૬।।

જે કોય કેદી ન સૂણ્યું કાન,અચ૦ । તે તો દેખાડ્યું ભગવાન,અચ૦ ।।

અલૌકિક વસ્તુ આવે લોકે,અચ૦ । તે તો જન સહુ અવલોકે,અચ૦ ।।૭।।

અશન વસન સુંદર માળા,અચ૦ । પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા,અચ૦ ।।

તલલાડું તોરા હાર,અચ૦ । ફળ ફુલ અમૂલ્ય અપાર,અચ૦ ।।૮।।

પામે સમાધિયે તે દાસ,અચ૦ । જાગે જયારે ત્યારે રહે પાસ,અચ૦ ।।

જેજે આપે સમાધિ માંયે,અચ૦ । તે તે લઇ આવે જન આંયે,અચ૦ ।।૯।।

અમાયિક માયિકમાં આવે,અચ૦ । એથી અન્ય આચરજ શું કાજાવે,અચ૦ ।।

વળી અનેક પરચા આપે,અચ૦ । પામે જન પ્રગટ પ્રતાપે,અચ૦ ।।૧૦।।

તેતો કેજાતા ન કેજાવાયે,અચ૦ । મોટો હરિમૂર્તિ મહિમાયે,અચ૦ ।।

જેજે આ સમાની વાત,અચ૦ । તે દીઠી મેં સાક્ષાત,અચ૦ ।।૧૧।।

સંતદાસ પ્રગટ પ્રતાપે,અચ૦ । ગયા જળમાં નાજાવા આપે,અચ૦ ।।

દીધી જળમાં ડૂબકી દાસે,અચ૦ । નિસર્યા નરનારાયણ પાસે,અચ૦ ।।૧૨।।

તિયાં દોઢ માસ રઇ,અચ૦ । ત્યાંની ખબર આવ્યા લઇ,અચ૦ ।।

તેતો આચરજ વાત કહેવાય,અચ૦ । આ દેહે એમ જવાય,અચ૦ ।।૧૩।।

વળી ફરી મેલ્યા મહારાજે,અચ૦ । હીમાળો ઉલ્લંઘ્યો મુનિરાજે,અચ૦ ।।

આવી પથરા નદી ત્યાંયે,અચ૦ । ઉતર્યા શ્રી હરિ ઇચ્છાયે, અચ૦ ।।૧૪।।

નાહ્યા માનસરોવર ઘાટે,અચ૦ । કૈકૈ કારજ કીધાં વાટે,અચ૦ ।।

એહ સામર્થી સ્વામીની,અચ૦ । બીજી કહું બહુનામીની,અચ૦ ।।૧૫।।

એક સચ્ચિદાનંદ સંત,અચ૦ । મહામોટા સાધુ અત્યંત,અચ૦ ।।

તેને રૂંધ્યા ઘરમાં ઘાલી,અચ૦ । રાખી ચોકી તાળાં આલી, અચ૦ ।।૧૬।।

તેમાંથી નીસરી ગયા,અચ૦ । તાળાં તેમનાં તેમ રહ્યાં,અચ૦ ।।

ભૌતિક દેહ અભૌતિક થયું,અચ૦ । એહ કારણ હરિનું કહ્યંુ,અચ૦ ।।૧૭।।

વળી હરિમૂરતિ પ્રતાપે,અચ૦ । સુખિયા થયા સાધુ આપે,અચ૦ ।।

એક વ્યાપકાનંદ મુનિ,અચ૦ । તે પર મેજાર મોટી પ્રભુની,અચ૦ ।।૧૮।।

સદા રહે મૂર્તિમાંઇ,અચ૦ । હરે ફરે હરિ ઇચ્છાઇ,અચ૦ ।।

વળી જે જે બોલે જિહ્વાય,અચ૦। તે તો તેમનું તેમ થાય,અચ૦ ।।૧૯।।

એક મૂંઇ જીવાડી ઘોડી,અચ૦ । એહ વાત નહિ કાંયે થોડી,અચ૦ ।।

વળી વાડવસુત જીવાડ્યો,અચ૦ । પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો,અચ૦ ।।૨૦।।

તે સામર્થી સહજાનંદની,અચ૦ । કહિ કેમ જાય આનંદકંદની,અચ૦ ।।

વળી વ્યાપકાનંદે એક,અચ૦ । કાપી કષ્ટ ઉગાર્યો વણિક,અચ૦ ।।૨૧।।

એવાં અનેક અલૌકિક કાજ,અચ૦ । કર્યા સંતદ્વારે મહારાજ,અચ૦ ।।

વળી સંત સ્વરૂપાનંદ,અચ૦ । જેને અંતર સદા આનંદ,અચ૦ ।।૨૨।।

કરી સમાધિ સંયમિની ગયા,અચ૦ । દીઠા જીવ દુઃખિયા તિયાં,અચ૦ ।।

નરક કુંડમાં નરનાર,અચ૦ । પાપી પીડાતાં અપાર,અચ૦ ।।૨૩।।

તેને દેખી દયા આવી,અચ૦ । બોલ્યા હરિમૂર્તિ બળ લાવી,અચ૦ ।।

નિસરો નરક થકી સહુ બાજાર,અચ૦ । પ્રગટ પ્રતાપે નરનાર,અચ૦ ।।૨૪।।

કાઢી જીવ કીધા કુંડ ખાલી,અચ૦ । જેને જમે નાખ્યાતા ઝાલી,અચ૦ ।।

તે નિસર્યા હરિ પ્રતાપે,અચ૦ । એ તો અતોળ વાત અમાપે,અચ૦ ।।૨૫।।

એક હરિજન પર્વતભાઇ,અચ૦ । સદા રહે હરિમૂર્તિમાંઇ,અચ૦ ।।

એક દિન વિચાર્યુ એવું,અચ૦ । વારાહરૂપ હશે વળી કેવું,અચ૦ ।।૨૬।।

ત્યાંતો રૂપ રૂડાં ચોવિશે,અચ૦ । ઉભાં આગળ નજરે દિશે,અચ૦ ।।

એક એકથી અનૂપ,અચ૦ । ચિત્તચોર ચોવિશે રૂપ,અચ૦ ।।૨૭।।

વળી પ્રગટ મૂર્તિ પાસે,અચ૦ । ઉભી દીઠી તે પણ દાસે,અચ૦ ।।

સર્વે રૂપ સમાણાં તેમાં,અચ૦ । પ્રગટ મૂર્તિ સુખની સીમા,અચ૦ ।।૨૮।।

તે તો પર્વતભાઇ પાસ,અચ૦ । સદા રહે છે શ્રી અવિનાશ,અચ૦ ।।

એવી વાત આજ દિન પેજાલી,અચ૦ । નથી શ્રવણે સાંભળેલી,અચ૦ ।।૨૯।।

વળી એહ મૂર્તિના બળે,અચ૦ । થયું કામ કહું એક પળે,અચ૦ ।।

એક ભકત રૂડો રતનો,અચ૦ । કરે ધ્યાન ધંધો ઘરનો,અચ૦ ।।૩૦।।

તેને ઘેર દિવ્ય રૂપે,અચ૦ । આવ્યા નાથ રથ અનુપે,અચ૦ ।।

હતો રથ હાલો હાલ્યે,અચ૦ । વળગ્યો રથને રતનો વાલ્યે,અચ૦ ।।૩૧।।

પોહોત્યો પલમાં જુગ જોજને,અચ૦ । બેઠા બાંધે બાર સદને,અચ૦ ।।

તે તો દિધું હતું દોકાન,અચ૦ । તેમાં મૂકી ગયા ભગવાન,અચ૦ ।।૩૨।।

ભૌતિક ભાવ રહ્યો નહીં રતિ,અચ૦ । પામ્યા દિવ્ય દેહની ગતિ,અચ૦ ।।

એવાં અનંત ચમતકાર,અચ૦ । પ્રગટ મૂર્તિમાં અપાર,અચ૦ ।।૩૩।।

વળી એક મેઘ હલવાઇ,અચ૦ । સદા રહે સમાધિમાંઇ,અચ૦ ।।

કરે કંદોઇનું કાજ,અચ૦ । પળ ભૂલે નહીં મહારાજ,અચ૦ ।।૩૪।।

તપાવે તેલ અતિ તાવડે,અચ૦ । તેમાંથી કળી કાઢે કર વડે,અચ૦ ।।

તેમાં રતિ ન દાઝે આપે,અચ૦ । તે તો હરિમૂર્તિ પ્રતાપે,અચ૦ ।।૩૫।।

વળી એક ડોસો યવન,અચ૦ । તેને થયું હરિનું દર્શન,અચ૦ ।।

રહી મૂર્તિ અંતરમાંઇ,અચ૦ । ભૂલ્યો દેહ દિસે નહિ કાંઇ,અચ૦ ।।૩૬।।

તેને બાપે બાંધ્યો બંધે,અચ૦ । રોકયો ઘરમાં ઘાલી સંબંધે,અચ૦ ।।

આપ્યાં કમાડ દીધાં તાળાં,અચ૦ । બેઠા બારણે રખવાળાં,અચ૦ ।।૩૭।।

તેમાંથી દેહ અદર્શ થઇ,અચ૦ । નિસર્યો બાર ગાઉ પર જઇ,અચ૦ ।।

ત્યાં પણ બંધ કર્યો વળી બીજે,અચ૦ । ત્યાંથી નિસરી ગયો ત્રીજે,અચ૦ ।।૩૮।।

આવરણ એક આડું નવ રહ્યું,અચ૦ । ભૌતિક દેહ અભૌતિક થયું,અચ૦ ।।

તે તો જાણે છે જન મનમાં,અચ૦ । એહ સામર્થી ભગવાનમાં,અચ૦ ।।૩૯।।

એવી કેટલીક વાતો કરીયે,અચ૦ । પ્રગટ મૂર્તિની વૈખરીયે,અચ૦ ।।

ઘણી વાત થોડામાં કહી,અચ૦ । બીજી ઘણી ગ્રંથોમાં રહી,અચ૦ ।।૪૦।।

સર્વે વાત સંભારી કહેવા,અચ૦ । નથી આ જગમાં કોઇ એવા,અચ૦ ।।

જોયું અંતર ઉંડુ ખોળી,અચ૦ । સામર્થ્ય વાલામાં વણતોળી,અચ૦ ।।૪૧।।

આ મૂર્તિની જે મોટાઇ,અચ૦ । નાવે નાવે કહ્યાં માંઇ,અચ૦ ।।

આ મૂર્તિ સહુથી ન્યારી,અચ૦ । શું હું કહું વડાઇ વિસ્તારી,અચ૦ ।।૪૨।।

આ મૂર્તિ સહુથી નોખી,અચ૦ । ચોક્કસ વાત કહું છું ચોખ્ખી,અચ૦ ।।

આ મૂર્તિ નહીં અન્ય જેવી,અચ૦ । હરિ ધરી ન ધરશે એવી,અચ૦ ।।૪૩।।

આ મૂર્તિ છે અલૌકી,અચ૦ । માનો માન મનનું મૂકી,અચ૦ ।।

આ મૂર્તિ નહીં કોય સરખી,અચ૦ । જુવો અંતર ઉંડુ નિરખી,અચ૦ ।।૪૪।।

આ મૂર્તિનો મહિમાય,અચ૦ । કોટિ કવિયે કેમ કહેવાય,અચ૦ ।।

આ મૂર્તિનું પરમાણું,અચ૦ । લખતાં કેણે ન લખાણું,અચ૦ ।।૪૫।।

કૈક કહી કહી કેજાછે ઘણું,અચ૦ । બળ બહુ દેખાડે બુદ્ધિતણંુ,અચ૦ ।।

તોય જથારથ જાણવા,અચ૦ । નથી કોય જુના નવા, અચ૦ ।।૪૬।।

એવી મૂર્તિ છે આજની,અચ૦ । હરિજનના સુખ સાજની,અચ૦ ।।

સહુને પાર આવ્યા છે પોતે,અચ૦ । જન સુખિયા થાય સહુ જોતે,અચ૦ ।।૪૭।।

એહ મૂર્તિના પ્રસંગે,અચ૦ । કૈક સુખિયા થયા અંગે,અચ૦ ।।

એવી મૂર્તિ સુખમય સારી,અચ૦ । તે તો દ્વિજ ધર્મ ઘર ધારી,અચ૦ ।।૪૮।।

ધન્ય ધન્ય દ્વિજ ધર્મકુમાર,અચ૦ । કર્યા બહુ જીવ ભવપાર,અચ૦ ।।

તે ગણતાં ન ગણાય,અચ૦ । કહ્યો મૂર્તિનો મહિમાય,અચ૦ ।।૪૯।।

મોટ્યપ કહેવા મૂર્તિતણી,અચ૦ । હતી હામ હૈયામાં ઘણી,અચ૦ ।।

પૂરી થઇ પામ્યો આનંદ,અચ૦ । એમ કહે નિષ્કુળાનંદ,અચ૦ ।।૫૦।।

ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત હરિસ્મૃતિ મધ્યે સપ્તમ ચિંતામણિઃ ।।।।