(રાગ:-રામગરી) ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ;
આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા ।। ૧ ।।
ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા;
એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા ।। ૨ ।।
અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા;
મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા ।। ૩ ।।
એમ ધ્રુવજી જયારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને;
નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા ।। ૪ ।।