(રાગ:-રામગરી) મનરે માન્યું નંદલાલશુંએ ઢાળ.

પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે;

ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ ।। ૧ ।।

ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે;

તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દગે. પદાતિ ।। ૨ ।।

ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં;

તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ ।। ૩ ।।

શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર;

નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ ।। ૪ ।।