(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે;
ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ ।। ૧ ।।
ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે;
તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દગે. પદાતિ ।। ૨ ।।
ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં;
તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ ।। ૩ ।।
શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર;
નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ ।। ૪ ।।