રાગ:-ધન્યાશ્રી
સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી
શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી
ઢાળ:-
પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ ।।
દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ ।। ૨ ।।
અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ ।।
પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ ।। ૩ ।।
નિજ દાસને દુશ્મન જન, ઘડીઘડીએ ઘાત કરે ઘણી ।।
ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી ।। ૪ ।।
જેમ પડે જનને પાંસરું, તેમ કરે છે એ કૃપાનિધિ ।।
સુખ દુઃખ ને વળી સમ વિષમે, રાખે છે ખબર બહુ વિધિ ।। ૫ ।।
જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન ।।
એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન ।। ૬ ।।
આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય ।।
પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ।। ૭ ।।
જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી ।।
જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે દી હરિ ।। ૮ ।।
જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી ।।
દર્દારિ દિયે દર્દીને, ટાળવા ઉપાધિ બાહેર માંયલી ।।૯।।
કુપથ્ય વસ્તુ કે દી ન દિયે, ખાવા તે ખોટે મષે કરી ।।
નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે શ્રીહરિ ।।૧૦।।