આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી
સમજી વિચારી કયાર્ં ઉલ્લંઘનજી, ભાવશું ભજયાં શ્રી ભગવનજી
ભજયા ભગવાન ભાવશું, સાબિત કરી શિરસાટ ।।
લાલચ મેલી આ લોકસુખની, લીધી અલૌકિક વાટ ।। ૨ ।।
તે ભકત પ્રહલાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જેદેવ ।।
વિભીષણ અંબરીષ આદિ, ભજયા હરિ તજી બીજી ટેવ ।। ૩ ।।
શિબિ વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહિયે ।।
નળ મુદગલ મયુરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહિયે ।। ૪ ।।
શુક નારદ ને સનકાદિક, જડભરત જાજળી જાણિયે ।।
આરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે ।। ૫ ।।
ઊંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ ।।
ખાટ્ય થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ ।। ૬ ।।
અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર ।।
જેમ ધાંખે ખાયે ધંતૂર નર, તેમા નાવે સુખ નિરધાર ।। ૭ ।।
એવું જોઈ સુખ આ જકતનું, જેનું માન્યું નહિ કિયાં મન ।।
તજયું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન ।। ૮ ।।
મોટા દુઃખને મટાડવા, કસી કમર કરડાઈ કરી ।।
જીતિયે કે જાય જીવથી, પણ એ દુઃખમાં ના’વિયે ફરી ।।૯।।
એવો આગ્રહ જેણે આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર ।।
નિષ્કુળાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર ।।૧૦।।
કડવું – ૩