આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી

સમજી વિચારી કયાર્ં ઉલ્લંઘનજી, ભાવશું ભજયાં શ્રી ભગવનજી

ભજયા ભગવાન ભાવશું, સાબિત કરી શિરસાટ ।।

લાલચ મેલી આ લોકસુખની, લીધી અલૌકિક વાટ ।। ૨ ।।

તે ભકત પ્રહલાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જેદેવ ।।

વિભીષણ અંબરીષ આદિ, ભજયા હરિ તજી બીજી ટેવ ।। ૩ ।।

શિબિ વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહિયે ।।

નળ મુદગલ મયુરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહિયે ।। ૪ ।।

શુક નારદ ને સનકાદિક, જડભરત જાજળી જાણિયે ।।

આરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે ।। ૫ ।।

ઊંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ ।।

ખાટ્ય થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ ।। ૬ ।।

અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર ।।

જેમ ધાંખે ખાયે ધંતૂર નર, તેમા નાવે સુખ નિરધાર ।। ૭ ।।

એવું જોઈ સુખ આ જકતનું, જેનું માન્યું નહિ કિયાં મન ।।

તજયું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન ।। ૮ ।।

મોટા દુઃખને મટાડવા, કસી કમર કરડાઈ કરી ।।

જીતિયે કે જાય જીવથી, પણ એ દુઃખમાં ના’વિયે ફરી ।।૯।।

એવો આગ્રહ જેણે આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર ।।

નિષ્કુળાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર ।।૧૦।।

કડવું – ૩