સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં ।।

સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં ।। ૧ ।।

જડભરત  જનક  જયદેવ,  એવું  થાવું  આપણે ।।

ત્યારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બણે ।। ૨ ।।

અતિ આદર્યું કામ અતોલ,  પરલોક પામવા ।।

ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય, વિઘનને વામવા ।। ૩ ।।

વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા ।।

કરી  નિષ્કુળાનંદ  વિચાર,  સંત  અસંત  કહ્યા ।। ૪ ।।