સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં ।।
સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં ।। ૧ ।।
જડભરત જનક જયદેવ, એવું થાવું આપણે ।।
ત્યારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બણે ।। ૨ ।।
અતિ આદર્યું કામ અતોલ, પરલોક પામવા ।।
ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય, વિઘનને વામવા ।। ૩ ।।
વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા ।।
કરી નિષ્કુળાનંદ વિચાર, સંત અસંત કહ્યા ।। ૪ ।।