એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની ।।
જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની ।। ૧ ।।
એને અર્થે કરે ઉપાય, શોધી સારા ગામને ।।
પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય દામ વામને ।। ૨ ।।
કરે કથા કીર્તન કાવ્ય, અર્થ એ સારવા ।।
ભલો દેખાડે ભકત ભાવ, પર ઘર મારવા ।। ૩ ।।
એથી કે દી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું ।।
કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું ।। ૪ ।।