એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની ।।

જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની ।। ૧ ।।

એને  અર્થે  કરે  ઉપાય,  શોધી  સારા  ગામને ।।

પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય  દામ  વામને ।। ૨ ।।

કરે  કથા  કીર્તન  કાવ્ય, અર્થ એ સારવા ।।

ભલો દેખાડે  ભકત  ભાવ, પર ઘર મારવા ।। ૩ ।।

એથી કે દી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું ।।

કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું ।। ૪ ।।