ખોટી વાત સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશે રે ।।
પોતે પેટે કપટ રાખી કોટ, બા’ર તો સાધુતા ગ્રહેશે રે ।। ૧ ।।
છળે કળે છપાડી છિદર, વાંકમાં નહિ આવે આપે રે ।।
એમ કરતાં જાણશે કોય નર, તેને ડરાવશે શાપે રે ।। ૨ ।।
આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયે રે ।।
જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બીયે રે ।। ૩ ।।
એવા પાપી જે પાપના પુંજ, દેખીને દૂર રૈ’યે રે ।।
કહે નિષ્કુળાનંદ તે શુંજ, કહી કહી કેટલું કૈ’યે રે ।। ૪ ।।