ખોટી વાત સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશે રે ।।

પોતે પેટે કપટ રાખી કોટ, બા’ર તો સાધુતા ગ્રહેશે  રે ।। ૧ ।।

છળે કળે છપાડી છિદર, વાંકમાં નહિ આવે આપે રે ।।

એમ કરતાં જાણશે કોય નર, તેને ડરાવશે શાપે રે ।। ૨ ।।

આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયે રે ।।

જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બીયે રે ।। ૩ ।।

એવા પાપી જે પાપના પુંજ,  દેખીને દૂર રૈ’યે રે ।।

કહે નિષ્કુળાનંદ તે શુંજ, કહી કહી કેટલું કૈ’યે રે ।। ૪ ।।