જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય, જન સહુ જાણે છે ।।
એકલશૃંગી સૌભરીનાં શૂલ, પોથીમાં પ્રમાણે છે ।। ૧ ।।
નારદ પર્વતની નિદાન, કીર્તિ કથામાં કહી ।।
માટે સહુ રહેજયો સાવધાન, ખબડદાર ખરા થઈ ।। ૨ ।।
જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી ।।
માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહિ વાત ખરી ।। ૩ ।।
રહેવું નહિ ગાફલ ગમાર, માલ અતોલ મળે ।।
કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પળે પળે ।। ૪ ।।