કૃષ્ણ પધાર્યા કેડ્યની વાત, ભલી ભાગવતે ભાખી ।।

કર્યો અસુરે બહુ ઉતપાત, હરિનારી  ઘેર રાખી ।। ૧ ।।

અર્જુનનું ન ઊપજયું કાંય, ગાંડીવ ઘણુંયે હતું ।।

તોય ન થઈ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું ।। ૨ ।।

માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા ।।

સમા સમું  રહે કહો કેમ, જેના રખવાળ  ગયા ।। ૩ ।।

માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો ।।

કહે નિષ્કુળાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો ।। ૪ ।।