આવી અરથની  જે વાત, કોય નર ઉતારે અંગમાં રે ।।

ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી રહે સત્સંગમાં રે ।। ૧ ।।

થઈ ગરીબને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે ।।

મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે ।। ૨ ।।

ખોળી ખોટ્ય ન રાખે કાંઈ, ભલી ભકત ભજાવવા રે ।।

એક રહે અંતરમાંઈ, તાન પ્રભુને રિઝાવવા રે ।। ૩ ।।

એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે ।।

સરે  નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે ।। ૪ ।।