આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાં રે ।।
ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી રહે સત્સંગમાં રે ।। ૧ ।।
થઈ ગરીબને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે ।।
મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે ।। ૨ ।।
ખોળી ખોટ્ય ન રાખે કાંઈ, ભલી ભકત ભજાવવા રે ।।
એક રહે અંતરમાંઈ, તાન પ્રભુને રિઝાવવા રે ।। ૩ ।।
એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે ।।
સરે નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે ।। ૪ ।।