જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌ કોય કામનો રે ।।
ત્યારે કો’ને વધ્યો કુંણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે ।। ૧ ।।
જયારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે ।।
ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને રે ।। ૨ ।।
પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું હતું આ જગમાં રે ।।
તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં રે ।। ૩ ।।
એવા મૂરખની મિરાંત, એને અર્થે નથી આવતી રે ।।
કહે નિષ્કુળાનંદ વાત, હરિભકતને મન ભાવતી રે ।। ૪ ।।