જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે ।।

માત તાત સગાં સમેત,  માન્યા સનેહી ભોળાપણે રે ।। ૧ ।।

જોને ગર્ભવાસની ત્રાસ, ટળે કેમ ટાળી કોઈની રે ।।

તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે ।। ૨ ।।

વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે ।।

બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે ।। ૩ ।।

એમ સમજયા વિના જન, આવે ઉન્નમત્તાઈ  અંગમાં રે ।।

કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે ।। ૪ ।।