એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો ।।

પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો ।। ૧ ।।

જેના અંતરમાં અવિનાશ,  વાસ કરી વસિયા ।।

તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા ।। ૨ ।।

એવા શત્રુતણું ટળ્યું સાલ,  લાલ  જયાં આવી રહ્યા ।।

તેણે સંત થયા છે નિહાલ,  પૂરણ કામ થયા ।। ૩ ।।

એવા સંત જે હોય સંસાર, શોધીને સેવીજિયે ।।

કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજિયે ।। ૪ ।।