કહ્યાં ષટ દશ પદ આ ખોળી રે, સહુ જનને સમજાવાને ।।
કહ્યું તન મનમાં મે તોળી રે, જેમ છે તેમ જણાવાને ।। ૧ ।।
કોય પીયૂષ રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને ।।
તોય નિરવિખ તે ન થાય રે, વાધે વિખ એના અંગને ।। ૨ ।।
જોને જેવો ગુણ જે બીજે રે, તેવો તેહ જણાવે છે ।।
તેની કોટી જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે ? ।। ૩ ।।
એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા ।।
સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીએ સેવા ।। ૪ ।।