કહ્યાં ષટ દશ પદ આ ખોળી રે, સહુ જનને સમજાવાને ।।

કહ્યું તન મનમાં મે તોળી રે, જેમ છે તેમ જણાવાને ।। ૧ ।।

કોય પીયૂષ  રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને ।।

તોય નિરવિખ તે ન થાય રે, વાધે વિખ એના અંગને ।। ૨ ।।

જોને જેવો ગુણ જે બીજે  રે, તેવો તેહ જણાવે છે ।।

તેની કોટી જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે ? ।। ૩ ।।

એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા ।।

સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીએ સેવા ।। ૪ ।।