કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી ।।

પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી ।। ૧ ।।

પંચ વિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે ।।

તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જયારે ।। ૨ ।।

વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી ।।

બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તન સુખ પરથી ।। ૩ ।।

એવા કયાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી ।।

કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી ।। ૪ ।।