વણ સાધુનો વરતારો રે, આ પદ સુણતાં ઓળખાશે ।।

પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે ।। ૧ ।।

તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે ।।

કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે ।। ૨ ।।

આંખ્ય અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને ।।

ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને ।। ૩ ।।

પછી સંત અસંત એક પાડે  રે, નહિ દેખે તે કોઈ દને ।।

કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને ।। ૪ ।।