વળી વિષયી જનનાં વાયક રે, ભર્યા ભરપૂર ભૂંડાઈયે ।।

હોય સહુને દુઃખના દાયક રે, એથી સુખિયાં શું થાયે ।। ૧ ।।

જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વિલખ્યા છે ।।

એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લૈને લખ્યાં છે ।। ૨ ।।

વળી વસિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કાવે છે ।।

એના અંતરની જે આશા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે ।। ૩ ।।

માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને ।।

કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને ।। ૪ ।।