વળી વિષયી જનનાં વાયક રે, ભર્યા ભરપૂર ભૂંડાઈયે ।।
હોય સહુને દુઃખના દાયક રે, એથી સુખિયાં શું થાયે ।। ૧ ।।
જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વિલખ્યા છે ।।
એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લૈને લખ્યાં છે ।। ૨ ।।
વળી વસિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કાવે છે ।।
એના અંતરની જે આશા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે ।। ૩ ।।
માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને ।।
કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને ।। ૪ ।।