રાગ :- ધોળ  ‘હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા’

એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું ।।

પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।। ૧ ।।

પણ  વણ  કહ્યે  જો  વિગત્ય,  પડે  કેમ  પરને ।।

સંત  અસંતમાં  એક  મત્ય,  નિશ્ચે  રહે  નરને ।। ૨ ।।

માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે ।।

મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે ।। ૩ ।।

કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં ।।

સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। ૪ ।।