રાગ :- ધોળ ‘હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા’
એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું ।।
પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।। ૧ ।।
પણ વણ કહ્યે જો વિગત્ય, પડે કેમ પરને ।।
સંત અસંતમાં એક મત્ય, નિશ્ચે રહે નરને ।। ૨ ।।
માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે ।।
મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે ।। ૩ ।।
કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં ।।
સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। ૪ ।।