એવા ધામની આગળ બીજા, શી ગણતીમાં ગણાય રે ।।

મા’પ્રલય કાળના અગ્નિમાં સીઝા, હંમેશ જે હણાય રે ।। ૧ ।।

પ્રકૃતિપુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોય રે ।।

ચૌદ લોક ધામ રહેવા ન પાવે, સર્વે સંહાર હોય રે ।। ૨ ।।

જેમ કઢાયામાં કણ ઊછળે છે, ઊંચા નીચા અગ્નિ જવાળે રે ।।

તેમ જો તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે ।। ૩ ।।

માટે સુખ નથી કિયાં માને, પ્રભુજીના પદ પખી  રે ।।

નિષ્કુળાનંદ કહે ભૂલે છે શાને, લે વાત આવી તું લખી રે ।। ૪ ।।