એવા ધામની આગળ બીજા, શી ગણતીમાં ગણાય રે ।।
મા’પ્રલય કાળના અગ્નિમાં સીઝા, હંમેશ જે હણાય રે ।। ૧ ।।
પ્રકૃતિપુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોય રે ।।
ચૌદ લોક ધામ રહેવા ન પાવે, સર્વે સંહાર હોય રે ।। ૨ ।।
જેમ કઢાયામાં કણ ઊછળે છે, ઊંચા નીચા અગ્નિ જવાળે રે ।।
તેમ જો તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે ।। ૩ ।।
માટે સુખ નથી કિયાં માને, પ્રભુજીના પદ પખી રે ।।
નિષ્કુળાનંદ કહે ભૂલે છે શાને, લે વાત આવી તું લખી રે ।। ૪ ।।