એવા જનની ઉપર હરિ, રાજી છે રાધિકાપતિ રે ।।
જેણે ભકત ભાવેશું કરી, ફરે નહીં કે દી મતિ રે ।। ૧ ।।
શરીરના સુખ સર્વે ત્યાગી, વાધી પ્રભુ સાથે પ્રીતિ રે ।।
જેની લગની લાલશું લાગી, તે તો રહ્યા જગ જીતિ રે ।। ૨ ।।
કપટ રહિત કૃષ્ણની સેવા, જાણજયો જે જને કરી રે ।।
પ્રભુના પદને પામિયા એવા, આ ભવજળ ગયા તરી રે ।। ૩ ।।
તેમા સંશય લેશ મ લાવો, પૂરણ પ્રતીતિ આણો રે ।।
નિષ્કુળાનંદ કહે નિરદાવો, જેના જીવમા જાણો રે ।। ૪ ।।