જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે ।।
એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે ।। ૧ ।।
માન મમતા મત્સર મોહ, ઈર્ષ્યા અતિ ઘણી ।।
એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી ।। ૨ ।।
તેને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામિયે ।।
જે જમાડિયે તે પણ જાય, ખાધુ જે હરામિયે ।। ૩ ।।
એના દર્શન તે દુઃખ દેણ, ન થાય તો ન કીજિયે ।।
સુણી નિષ્કુળાનંદના વેણ, સહુ માની લીજિયે ।। ૪ ।।