જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય  બળે ।।

એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે ।। ૧ ।।

માન  મમતા  મત્સર  મોહ,  ઈર્ષ્યા  અતિ  ઘણી ।।

એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી ।। ૨ ।।

તેને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામિયે ।।

જે જમાડિયે તે પણ જાય, ખાધુ જે હરામિયે ।। ૩ ।।

એના દર્શન તે દુઃખ દેણ,  ન થાય તો ન કીજિયે ।।

સુણી નિષ્કુળાનંદના વેણ, સહુ માની લીજિયે ।। ૪ ।।