રાગ:-  પરજ

નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયેરે ।

એહ જેવા તો એકજ એ છે, બીજે કેમ થવાયરે ।।૧।।

સૂરજ સરખા એક સૂરજ છે, શશી સરખા શશિરે ।

સિંધુ સરખા એક સિંધુ છે, એને ઉપમા કશીરે ।।ર।।

શૂન્ય સરિખો એક શૂન્ય છે, સમીર સરિખો સમીરરે ।

તેજ સરિખું એક તેજ છે, નીર સરિખું નીરરે ।।૩।।

એમ પ્રભુ સરિખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરીરે ।

નિષ્કુલાનંદ કે’ નિશ્ચય કરીને, માની લીયો વાત ખરીરે ।।૪।। પદ ।।૭।।