પદરાગ:- સામેરી
આવો હરિ મંદિરીએ મારે, એ ઢાળ છે. જાણો જન સમર્થ શ્રી ભગવાન । ટેક
એ જીવનું જોર ન જાણવુંરે, અમથું કરે અભિમાન ।
કર્યું ન થાય કોઈનુંરે, નર નિર્જરથી નિદાન; જાણો૦ ।।૧।।
એ પ્રાણી સુખને પામવારે, કરે તે સર્વસ્વ દાન ।
જશ વાધે આ જગ્તમાંરે, વળી સહુ કરે સન્માન; જાણો૦ ।।ર।।
જપ તપ તીરથ જોગ જેરે, ધરે વન જઈ ધ્યાન ।
અર્થ ન સરે એહથીરે, જેવી વર વિનાની જાન; જાણો૦ ।।૩।।
એ મેલી બળ મહારાજનુંરે, કરે ઉપાય કોઈ આંન ।
નિષ્કુલાનંદ નિષ્ફળ છેરે, જાણો જોર થયું એ જયાન; જાણો૦ ।।૪।। પદ ।।૬।।