પદરાગ:-  સામેરી

આવો હરિ મંદિરીએ મારે, એ ઢાળ છે. જાણો જન સમર્થ શ્રી ભગવાન । ટેક

એ જીવનું જોર ન જાણવુંરે, અમથું કરે અભિમાન ।

કર્યું ન થાય કોઈનુંરે, નર નિર્જરથી નિદાન; જાણો૦ ।।૧।।

એ પ્રાણી સુખને પામવારે, કરે તે સર્વસ્વ દાન ।

જશ વાધે આ જગ્તમાંરે, વળી સહુ કરે સન્માન; જાણો૦ ।।ર।।

જપ તપ તીરથ જોગ જેરે, ધરે વન જઈ ધ્યાન ।

અર્થ ન સરે એહથીરે, જેવી વર વિનાની જાન; જાણો૦ ।।૩।।

એ મેલી બળ મહારાજનુંરે, કરે ઉપાય કોઈ આંન ।

નિષ્કુલાનંદ નિષ્ફળ છેરે, જાણો જોર થયું એ જયાન; જાણો૦ ।।૪।। પદ ।।૬।।