રાગ:-  રામગ્રી – મનરે માન્યું નંદલાલશું, જોઈ પાઘ પેચાળી એ ઢાળ છે

અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો ।

એહ વિના બીજી વારતા, પાંપળાં પ્રમાણો; અચળ૦ ।।૧।।

હરિપ્રતાપ હૈયાથકી, ન મટાડવો માનો ।

સમર્થ સમઝવા સ્વામીને, જોવો દોષ પોતાનો; અચળ૦ ।।ર।।

સરસ ન થાવું સંતથી, રે’વું દાસનાદાસ ।

દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ; અચળ૦ ।।૩।।

એહ વારતા અનુપમ છે, નિરવિઘન નિહાળો ।

નિષ્કુલાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો; અચળ૦ ।૪। પદ ।।૪।।