રાગ:- રામગ્રી – મનરે માન્યું નંદલાલશું, જોઈ પાઘ પેચાળી એ ઢાળ છે
અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો ।
એહ વિના બીજી વારતા, પાંપળાં પ્રમાણો; અચળ૦ ।।૧।।
હરિપ્રતાપ હૈયાથકી, ન મટાડવો માનો ।
સમર્થ સમઝવા સ્વામીને, જોવો દોષ પોતાનો; અચળ૦ ।।ર।।
સરસ ન થાવું સંતથી, રે’વું દાસનાદાસ ।
દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ; અચળ૦ ।।૩।।
એહ વારતા અનુપમ છે, નિરવિઘન નિહાળો ।
નિષ્કુલાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો; અચળ૦ ।૪। પદ ।।૪।।