રાગ:- મેવાડો
નાથજી નિવારો રે દોષ નિજ દાસનારે, જોશોમાં અવગુણ મારા જીવન ।
પ્રભુજી સંભારીરે બીરુદ પોતાતણું રે, કરીયે પતિતને રે પાવન; નાથજી૦ ।।૧।।
અનેક અધમ રે આગે ઉદ્ધારિયા રે, થાય નહિ ગણતાં તેનો રે થાપ ।
દીનના બંધુ છો રે દીનદયાળજી રે, શરણાગતના હરણ સંતાપ; નાથજી૦ ।।ર।।
આકરી વેળાયે રે આવો છો ઉતાવળા રે, વા’લા નથી કરતા વેળ લગાર । સહી ન શકો રે
સંકટ સંતનાંરે, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર; નાથજી૦ ।।૩।।
સંસાર તો સર્વે રે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ ।
નિષ્કુલાનંદ રે કહે નરતન ધરીરે, આવો છો અલબેલા એહ કાજ; નાથજી૦ ।।૪।। પદ ।।૧૦।।