રાગ:- સોરઠા
સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય ।
દૃઢ ભરોંસો ધર્મનંદનો, અતિ અંતરમાંઈ આણ્ય; સુખ૦ ।।૧।।
પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન ।
એવું ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન; સુખ૦ ।।ર।।
જેમ મેઘ જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર ।
એવું કામ કોયથીરે, જોને નવ થાય નિરધાર; સુખ૦ ।।૩।।
તેમ જે નિપજે જગદીશથી, તે ન નિપજે જીવથી જાણ્ય ।
નિષ્કુલાનંદ ન કીજીયેરે, ઠાલી તપાસ્યા વિના તાણ્ય; સુખ૦ ।।૪।। પદ ।।પ।।