એમ વિચાર કરવો નરને ઘણોજી, શુભ ગુણ સર્વે શ્રીહરિતણોજી ।

ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહિ ગુણ આપણોજી ।।૧।।

ઢાળ-

આપણા ગુણને ગણતાં, અતિશય અનાદર થાય । અર્થ એકે સરે નહિ, જાણો જરૂર લજજા જાય ।।ર।।

પો’ચ્ય ન હોય પોતા પાસળે, વળી કરે વડાઈની વારતા । કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા ।।૩।।

જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખકારણે । તેતો પાંગુલું ચાલવા પણ લીધું, વિના વાહન બારણે ।।૪।।

માટે મોટપ ન માનવી, ગુણ પરના પામીને । દીન આધીન વરતવું, સૌ સંતને શિશ નામીને ।।પ।।

અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું । પામવાનું સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું ।।૬।।

માટે વિચારી વરતવું, ઘણું ઘણું ગરજુ થઈ । અલમસ્તી ન દેવી આવવા, બેગરજુ થાવું નઈ ।।૭।।

આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીતશું । નિષ્કુલાનંદ તે ઉપરે, પ્રસન્ન થાશે પ્રભુ પ્રીતશું ।।૮।। કડવું ।।૩૪।।