ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી ।

પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાવજી ।।૧।।

ઢાળ-

ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ । નારાયણના નામરૂપી, જાણો અજર એ ઝાજ ।।ર।।

મશક તુંબાં મગાવીને, કહું કટિયે બાંધે કોય । સરે ન ઉતરે સિંધુને, જે અતિ અગાધ છે તોય ।।૩।।

તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય । તેને ભરાંેસે ન ભવ તરે, જાય જનમ અમુલ્ય ।।૪।।

માટે બળ રાખી બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત । પતિતપાવન બિરૂદ છે, તે તજશે નહિ કોઈ રીત।।પ।।

એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું બળ । તેહ પ્રાણી ઉતરશે, ભલી  ભાતે ભવજળ ।।૬।।

અચળ આશ્રય ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ । એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ ।।૭।।

(સરે એ સાચી વાત છે, બીજી ખોટી નહિ તે પણ ખરી । નિષ્કુલાનંદ નિર્ભય રહી, હેતશું ભજવા હરિ)

જયારે ૨પોત ન તારે પાષાણને, તારે કાષ્ટતરણકાં તુંબડાં । નિષ્કુલાનંદ એ નાવનાં, વખાણ કેમ થાય બડાં ।।૮।। કડવું ।।૩।।