અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી ।
શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી ।।૧।।
ઢાળ-
નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ વાસ । તે પણ સમાવ્યા તેજમાં, એવા છે વિનાશ ।।ર।।
જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ । તેમ દયા દયાળમાં, સહી રહી છે સદાઈ ।।૩।।
નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય જગદીશ, આવે અઘવંત આશરે । તેના ગુન્હા કરે બક્ષીસ ।।૪।।
ટળે નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ । એહ અર્થે નરતન ધરી, હરી આવે અવનિયે આપ ।।પ।।
મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ ઝાંખી કરી । તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી ।।૬।।
એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન । કોઈ રીતે અકાજ આપણું, નહિ થાય નિદાન ।।૭।।
શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો સંશય શોક । નિષ્કુલાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક ।।૮।।કડવું ।।૧૮।।