પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી ।
પલ જળ ફળ દલદાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી ।।૧।।
ઢાળ-
પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત । તેમ લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત ।।ર।।
કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ । મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી એ ભાગ ।।૩।।
બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ । પો’ચે નહિ દન પાછળે, એમ સમઝવું શુભમતિ ।।૪।।
અંડજ જેમ ઉંચા ચઢી, ઈચ્છે અડવા વળી આકાશ । પો’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે વાસ ।।પ।।
તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર । એવી ખોટ્ય ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર ।।૬।।
દૈહિક દોષ દેહમાં, જે રહ્યા છે એકતાર । તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર ।।૭।।
માટે મોટો માનવો, મને પ્રભુજીનો પ્રતાપ । નિષ્કુલાનંદ ન કરવો, અંતરમાંહિ ઉતાપ ।।૮।। કડવું ।। ૧પ।।