જયારે જોયે આ જીવનું જોરજી, ત્યારે કોઈ રીતે ન આવે નોરજી ।
અંતરશત્રુ અતિ મહા ઘોરજી, મટવા ન દિયે મહા પ્રભુના ચોરજી ।।૧।।
ઢાળ-
ચોર જેમ ચોરી કરે, અને હરે મા’જનનો માલ । તેમ અંતર અરી ચોરી કરી, વળી કરી મૂકે કંગાલ ।।ર।।
પછી મુખે દીનપણું દાખવે, વળી મને માને નિરધન । વરતે તો પણ તેજ વિના, એમ રાંક રહે રાતદન ।।૩।।
જેમ દીપશિખા શમી ગઈ, રહી કેડે કાળી મશ । જયાં જયાં જાય ત્યાં સાંભળે, આપણો અપજશ ।।૪।।
ઝાંખપ આવી જે જીવમાં, તેતો કેમ કરી કરે ત્યાગ । રાતદિન ફડકો રહે, જેમ તસ્કર ઉપર કાગ ।।પ।।
આત્મા ન મનાય આપને, નહિ માથે પ્રભુ પ્રતાપ । એણે કરી રહે અભાગિયો, નવ મનાય નિષ્પાપ ।।૬।।
એક પ્રભુને પરહરી, જણાવે પોતાનું જોર । તેતો સોસો ઉડુ ઉગે સામટા, પણ ભાષ્કર વિના ન હોય ભોર ।।૭।।
તેમ જેજે થાય જગદીશથી, તેતે ન થાય નર અમર થકી । નિષ્કુલાનંદ એ વાતને, સમઝવી પૂરણ પકી ।।૮।। કડવું ।।રપ।।