જયારે જુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ હરિદાસજી ।

પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય નિરાશજી ।।૧।।

ઢાળ- નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર । મન વચન કર્મે કરી, કેદિ મટે નહિ હરિના ચોર ।।ર।।

કાંતો મનમાં ભોગવે, કાંતો વચને કરે વ્યભિચાર । કાંતો કામાદિક કર્મે કરી, ધારી રહ્યા નર ને નાર ।।૩।।

શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ । અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ ૧પીવ ।।૪।।

માટે કલ્યાણ કોઈનું, માનશોમાં મનમાંય । નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય ।।પ।।

અવિનાશીનું શું ઉપન્યું, નિરર્થક ધર્યું નરતન। નારાયણના નામનું, ભયહરણ નહિ ભજન ।।૬।।

વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર । એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર ।।૭।।

ભાગી પડયું ભવ તરવું, વાત ઉભી ન રહી એક । નિષ્કુલાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે આવીયું નેક ।।૮।। કડવું  ।પ।।