(રાગ:-ધોળ)સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત;

દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત..સંત ।। ૧ ।।

જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;

અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ. . સંત ।। ર ।।

જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ;

તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. . સંત ।। ૩ ।।

જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ;

નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ. . સંત ।। ૪ ।।