(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ.
ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, રાખજો જન કરી જતન રે;
ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વરત્યા હરિને વચન રે…ધર્મ ।। ૧ ।।
વચન વિના રે ધોખે નથી ધારતા રે, માનતા નથી કેવળ ધર્મમાંહી માલ રે;
બીજા જે ધર્મ રે જેવાં બોર બગાંમણાં રે, લાગે જંબુકને મન લાલ રે. . .ધર્મ ।। ર ।।
એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી ઉતારી વાત રે;
રાજા ઋષિનું રે, શ્રવણે સાંભળ્યું રે, સુખ સારુ દુઃખ પામ્યા સાક્ષાત રે. . .ધર્મ ।। ૩ ।।
શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે, વળગી રહ્યા છે વચન માંઈ રે;
નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે…ધર્મ ।। ૪ ।।