રાગ :- ગરબી

પરોક્ષ ભક્તરે પામે નહિ પ્રાપતિરે, જીવની જરાય જંપે નહિ ઝાળરે,

પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડેરે, સંશયવત રહે સદા કાળરે; પરોક્ષ૦ ।।૧।।

મુખોન્મુખરે મળ્યા નથી માવજીરે, કેવા હરિ જાણી કરશે ધ્યાનરે ।

રૂપ અનુપમરે કેવું હૃદે રાખશેરે, જેને અણ દિઠે છે અનુમાનરે; પરોક્ષ૦ ।।૨।।

અણ મળ્યાનીરે અંતરે આગન્યારે, પાળશે કઇ પેરે કરી પ્રીતરે ।

ધર્મને નિમરે કેમ દ્રઢ ધારશેરે, જે નથી જાણતા હરિની રીતરે; પરોક્ષ૦ ।।૩।।

વણ દીઠે વાતરે વદને શું વદશેરે, નથીઆવ્યા દયાળુ દીઠામાંયરે ।

નિષ્કુલાનંદરે ન મળેલ નાથનારે, તેણે ધર્મ નિ’મ ન રહે કાંયરે; પરોક્ષ૦ ।।૪।। પદ ।।૬।।