રાગ :- રામગરી

તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન ।

જપ તપ તીર્થ જોગ જે,  કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।।

દાન પુણ્ય પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન ।

પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરેછે જન; તીવ્ર૦ ।।૨।।

પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા કાજ ।

અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।।

બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય ।

નિષ્કુલાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।। પદ ।।૪।।