રાગ :- રામગરી
વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર ।
તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।।
અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય ।
તો તનઅભિમાન ટળે નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।।
કુરકટ ફલને જળે વળી, મળ માંયેથી જાય ।
તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય; વા’લિ૦ ।।૩।।
ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય ।
નિષ્કુલાનંદ જેને ઉપજયો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।।