રાગ :- રામગરી

વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર ।

તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।।

અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય ।

તો તનઅભિમાન ટળે નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।।

કુરકટ ફલને જળે વળી, મળ માંયેથી જાય ।

તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય; વા’લિ૦ ।।૩।।

ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય ।

નિષ્કુલાનંદ જેને ઉપજયો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।।