(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.
અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક;
જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ ।। ૧ ।।
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ;
દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ ।। ર ।।
સાતે દષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય;
સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ ।। ૩ ।।
જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ;
નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ ।। ૪ ।।