રાગ :- રામગરી
નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત ।
અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।।
સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ ।
એતો ઉદંબરે ફળ વળગ્યાં, થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।।
એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર અજ ઈશ ।
અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।।
માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય ।
નિષ્કુલાનંદ પ્રભુપદ પખી, જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।। પદ ।।૧।।