રાગ :- રામગરી

શુદ્ધ્ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય ।

માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય; શુદ્ધ ।।૧।।

નિષ્કામી જનની નાથને, સારી લાગે છે સેવ ।

જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ; શુદ્ધ ।।ર।।

સકામ ભકતની શ્રીહરિ, પૂજા પરહરે દૂર ।

જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર; શુદ્ધ ।।૩।।

શુદ્ધ વૈરાગ્ય વિના સમઝો, નર નો’યે નિરાશ ।

નિષ્કુલાનંદ નિષ્કામથી, રિઝે શ્રીઅવિનાશ; શુદ્ધ ।।૪।। પદ ।।ર।।