રાગ :- રામગરી
શુદ્ધ્ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય ।
માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય; શુદ્ધ ।।૧।।
નિષ્કામી જનની નાથને, સારી લાગે છે સેવ ।
જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ; શુદ્ધ ।।ર।।
સકામ ભકતની શ્રીહરિ, પૂજા પરહરે દૂર ।
જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર; શુદ્ધ ।।૩।।
શુદ્ધ વૈરાગ્ય વિના સમઝો, નર નો’યે નિરાશ ।
નિષ્કુલાનંદ નિષ્કામથી, રિઝે શ્રીઅવિનાશ; શુદ્ધ ।।૪।। પદ ।।ર।।