સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી
પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી
વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણિ ।। પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માંઈ ઘણી ઘણી ।। ર ।।
અન્ય સુખથી મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે ।। લોકાલોકની લાલચ્ય મેલી, સુખ ધર્મસુતમાં લેખશે ।। ૩ ।।
જગસુખ અભાવની જુગતી, અતિ કહિ છે જો કથીકથી ।। સમજયા સરખી સુલભ છે, વાત અતિ રતી ઊંડી નથી ।। ૪ ।।
વૈરાગ્ય ભકત ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી ।। જ્ઞાનની પણ થોડી ઘણી, ચોકસપણે ચોખી ચવી ।। પ ।।
અસંત સંતની વારતા, તેહ પણ કાંઈક કહી છે ।। સાંગોપાંગ સમજવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે ।। ૬ ।।
સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવિયું ।। તેહ તેહ તપાસી તને મને, કાંઈક કાંઈક કા’વિયું ।। ૭ ।।
મુમુક્ષુને મગન કરવા, આમાં વાત છે વિધવિધની ।। નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ પ્રસિદ્વની ।। ૮ ।।
ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે નહિ ।। ત્યાર તરછટ તાંદુલા, કરી દીધા છે સુંદર લહિ ।। ૯ ।।
આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત ।। નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત ।। ૧૦ ।।