સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવીજી

અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા જેવીજી

વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને ઉપમા ।। શા સરખા સૂચવિયે, જેને જકત સુખની નથી તમા ।। ર ।।

સિંધુને શા સરિખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે ।। તોલ માપ થાપ થાતો નથી, જેનું અતિ અગાધ નીર છે ।। ૩ ।।

જો તીખો અર્ક તપે ઘણું, પણ અણુભાર ઊનો નવ થાય ।। તેને સમ સર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય ।। ૪ ।।

તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી ।। અતિ પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરી ।। પ ।।

જેમ મહા અર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના ।। તેમ સંસાર સાગર પાર કરવા, જાણો સંત અજર ઝાઝ બન્યા ।। ૬ ।।

જેમ ચિંતામણિમાં ચૌદ લોકની, રકમ સર્વે રહી છે ।। તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સઈ છે ।। ૭ ।।

મોટે ભાગ્યે કરી મળે માનો, સાચા સંતનો સમાગમ ।। તો તેણે કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ ।। ૮ ।।

સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંતશું પ્રીત ।। નૂન્ય ન રહે તેહ જનને, જાણો જોરે થઈ જાય જીત ।। ૯ ।।

પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સહુ કામ ।। નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમધામ ।। ૧૦ ।।