રાગ :- ધન્યાશ્રી
જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી ।
ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ।।૧।।
રાગ :- ઢાળ
ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય । ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।।
જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી । તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।।
તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં । તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ।।૪।।
જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પિઉં । આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઈયું ।।પ।।
થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ઘુંચવશે । સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે ।।૬।।
જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું । પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।।
આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ । આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ।।૮।।
તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત । કૈકવાર સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।।
માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ । નિષ્કુલાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ ।।૧૦।। કડવું ।।૪।।