રાગ :- ધન્યાશ્રી
વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઇ સર્વે ભુખજી ।
કોઇ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ।।૧।।
રાગ :- ઢાળ
હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી । સાજી ન રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ।।૨।।
જેમ ચકોરની દૃષ્ટિ ચંદ્ર મુકી, અરુપરુ પેખે નહી । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિર્મૂિત વિના દેખે નહિ ।।૩।।
જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નિસિરતાં બળે ઘણું । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ।।૪।।
જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે । શીદ આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે ।।૫।।
તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ ર્મૂિતમાંઇ રહે વસી । તેને દેહમાં આવે દુઃખ ઉપજે, જે વાલમમાં રહી વિલસી ।।૬।।
જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે એકલી અરણ્ય । ભવનભવન હીંડે ભીખતી, તેને વદવી વાઘરણ્ય ।।૭।।
તેમ હરિજનની વૃત્તિને, જોઇએ પૂરણ પતિવ્રતાપણું । મહા સુખમય ર્મૂિત મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ।।૮।।
પણ બાંધિ અલાબુ દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી । તેમ હરિર્મૂિતમાં બૂડતાં, સ્નેહ તોડવો શરીરથી ।।૯।।
એટલા માટે જરુર જોઇએ, નરને તે નિરવેદ । નિષ્કુલાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ।।૧૦।। કડવું ।।૧૨।।