રાગ-ધોળ:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
જયાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે;
આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે. જયાન૦ ।। ૧ ।।
વિમુખ આપે છે પાંતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે;
અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર રે. જયાન૦ ।। ર ।।
ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે;
વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે. જયાન૦ ।। ૩ ।।
પછી અટક ન રહે આજ્ઞાતણી, રાખે જયાં ત્યાં ન રે’વાય રે;
નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે. જયાન૦ ।। ૪ ।।