રાગ-ધોળ:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે;
આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે. સંત૦ ।। ૧ ।।
અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે;
દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે. સંત૦ ।। ર ।।
મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ રે;
સાબિત કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ રે.સંત૦ ।। ૩ ।।
એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર રે;
નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦ ।। ૪ ।।