રાગ-ધોળ:-આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ.

સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે;

સંતો જયાં જયાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે.   સંતો૦ ।। ૧ ।।

સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઈ ઉન્મત્ત રે;

સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઈ જાયે ખત રે.   સંતો૦ ।। ર ।।

કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટિયાર રે;

રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે.   સંતો૦ ।। ૩ ।।

એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે;

નિષ્કુળાનંદ તેને નીરખતાં, સંત ન માને સુખ રે.   સંતો૦ ।। ૪ ।।